Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભાજપ CM બદલી નાંખશે તેવો કોંગ્રેસનો દાવોઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રવિવારે તેમણે આ મુદે ટ્વિટ કરી અને સોમવારે સંભવિત દાવેદારોના નામ પણ બતાવી દીધા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે છેલ્લા દિવસોમાં MPના CM બદલવાની વાત કરી છે. રવિવારે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે MPના CM બદલવામાં આવી શકે છે. લોકોને સંભવિત નામો વિશે પણ પૂછ્યું હતું. સાથે જ કહ્યું કે જો તમે નહીં કહો તો હું સોમવારે બતાવી દઇશ. તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહે પોતાની આ ટ્વિટમાં બે નામનો ઉલેખ્ખ કર્યો છે. આ બંને નામ ચોંકાવનારા છે.

પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા

આજે એટલે કે સોમવારે તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે MP ભાજપમાં હવે મુખ્યમંત્રી તરીકે માત્ર બે જ ઉમેદવાર રહ્યા છે. મોદીજીના ઉમેદવાર પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા. બાકીના ઉમેદવારો પ્રતિ મારી સહાનુભૂતિ છે. સાથે જ તેમણે લખ્યું છે કે મામાનું જવું નક્કી. દિગ્વિજય સિંહની આ ટ્વિટ હવે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કરી આ વાત

વધુમાં જણાવીએ તો આ ચર્ચા તેમણે એક દિવસ પહેલા જ કરી હતી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે MPના મુખ્યમંત્રી બદલાઈ શકે છે. રવિવારે તેમણે આ મુદે ટ્વિટ કરી અને સોમવારે સંભવિત દાવેદારોના નામ પણ બતાવી દીધા. પણ આ ઘટના પછી ભાજપના કોઈ પણ નેતાઓની પ્રતિક્રિયા નથી આવી. 

બીજી બાજુ શિવરાજે એક દિવસ પહેલા કહ્યું હતું કે હું દિગ્વિજયની વાતો પર ટિપ્પણી નથી કરતો, ત્યારબાદ હસતાં મોઢે શિવરાજ સિંહ ચૌહાણ નીકળી ગયા હતા. આ ચર્ચા એક મહિના પહેલા જ થઈ હતી. એ સમયે ભાજપના દિગ્ગજ નેતાઓએ કહ્યું હતું કે MPના નેતા શિવરાજસિંહ ચૌહાણ જ હશે.

(5:16 pm IST)