Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સિદ્ધારમૈયા સાથે કોઈ મતભેદ નથી : એક વર્ગ કોંગ્રેસના વિચારો વિશે લોકોને અવળા માર્ગે દોરે છે : કુમારસ્વામી

બેંગ્લુરુ :કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ વાતનો ઇન્કાર કર્યો કે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા સાથે તેમને કોઈ મતભેદ છે.અત્રે  ઉલ્લેખનીય છે કે સિદ્ધારમૈયાએ નવુ બજેટ અને અન્નભાગ્ય યોજના હેઠળ મળતો ચોખાનો પુરવઠો ઘટાડવાની નિંદા કરી હતી

  કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસના નેતા મને સંપૂર્ણ રીતે સહયોગ કરી રહ્યા છે. સમાજનો એક વર્ગ કોંગ્રેસના વિચારો વિશે લોકોને અવળા માર્ગે ચડાવી રહ્યો છે. તેમણે કહ્યું કે સિદ્ધારમૈયા મારી વિરુદ્ધ કોઈ અભિયાન ચલાવી રહ્યા નથી. તેઓ મને સરકાર ચલાવવામાં સહયોગ આપી રહ્યાં છે.

(9:13 pm IST)