Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રાજસ્થાનના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર: બે થી વધુ બાળકો હોય તો પણ હવે નોકરી નહીં જાય : વસુંધરા રાજે કેબિનેટનો નિર્ણય

જયપુર: રાજસ્થાન સરકારે અગાઉ કરેલા કાયદા મુજબ બે કરતા વધુ બાળકો ધરાવતા સરકારી કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દેવાનું નક્કી થયું હતું.પરંતુ વર્તમાન વસુંધરા રાજે સરકારએ આ કાયદામાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.જે મુજબ આવા કર્મચારીઓની નોકરી નહીં જાય.કેબિનેટમાં મંજુર કરાયેલા આ નિર્ણયને ટૂંક સમયમાં કાયદાનું સ્વરૂપ આપી દેવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)