Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નફરત અને હિંસાની રાજનીતિ સામે અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ :દિગ્વિજયસિંહ

પાર્ટીએ મને ઘણું આપ્યું છે સીડબલ્યુસીમાં ફેરફારનું સ્વાગત;કોંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી છૂટી થયા બાદ દિગ્ગીરાજા ભાવુક

 

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી બહાર થયા બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, તેઓ ગમે ત્યાં રહેશે પરંતુ નફરતની રાજનીતિ વિરુદ્ધ લડતા રહેશે. તેમણે કહ્યું કે, ભાવુક અંદાજમાં કહ્યું કે, પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને મારા પર વિશ્વાસ પણ કર્યો છે

   તેમણે સીડબલ્યૂસીમાં ફેરફારના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે તેમની વિચારધારા નફરત અને હિંસાની વિરુદ્ધ છે અને તેવી શક્તિઓ વિરુદ્ધ તે પોતાના અંતિમ શ્વાસ સુધી લડતા રહેશે

(12:17 am IST)