Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રસી લીધી હોય તેવા લોકોમાં હોસ્‍પિટલમાં દાખલ થવાની સંભાવના ૮૦% ઓછી

રસીકરણવાળા વ્‍યકિતઓમાં આઈસીયુમાં દાખલ થવાનું જોખમ ફકત ૬% છે

નવી દિલ્‍હીઃ નીતિ આયોગના આરોગ્‍ય સભ્‍ય ડો. વી કે પૌલે જણાવ્‍યું હતું કે અભ્‍યાસ દર્શાવે છે કે જે લોકોએ કોરોના રસી મુકાવી છે તેઓમાં હોસ્‍પિટલમાં દાખલ થવાની સંભાવના ૭૫-૮૦ %  ઓછી છે. આવી વ્‍યક્‍તિઓ માટે ઓક્‍સિજન સપોર્ટનું જોખમ લગભગ ૮ % છે અને રસીકરણવાળા વ્‍યક્‍તિઓમાં આઇસીયુમાં દાખલ થવાનું જોખમ ફક્‍ત ૬% છે.

ડો. વી.કે. પૌલે કહ્યું કે, ‘ગ્રામીણ વિસ્‍તારોમાં, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સેરો પોઝિટિવિટી દર ૫૬% છે અને ૧૮ વર્ષથી ઉપરના લોકોમાં ૬૩% છે. માહિતી સૂચવે છે કે બાળકોમાં ચેપ લાગ્‍યો હતો પરંતુ તે ખૂબ હળવો હતો.

તેમણે કહ્યું કે WHO અને AIMS સર્વે દર્શાવે છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અને ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પોઝીટીવીટી લગભગ સમાન છે. ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા લોકોમાં, ૧૮ વર્ષથી ઓછી વયના લોકોમાં, સેરો પોઝિટિવિટી રેટ ૬૭ %  અને ૫૯ % છે. શહેરી વિસ્‍તારોમાં, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં તે ૭૮% છે અને ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ૭૯% છે.

 

(11:47 am IST)