Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વાયરસ પાણીમાં, બચાવ પણ પાણીમા

મુંઝવણમાં છે બધા આ સમયે છતાં રાખવો વિશ્વાસ સૌ એ કરતારમાં :વાયરસથી અને પાણીજન્ય રોગથી બચવા માટેનો ઉપાય ઉકાળેલું પાણી ઉત્તમ રહેશે

વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માં કોરોના વાયરસની પહેલી બીજી લહેરથી આખી દુનિયા ત્રસ્ત છે ત્યારે ત્રીજી લહેર દસ્તક આપવાની છે એ સમાચારો વચ્ચે  સાબરમતી નદીના પાણીમાં વાયરસ આવ્યાના સમાચાર વાંચ્યા ત્યારે કોરોના તથા પાણીજન્ય રોગોથી આપણે અને આપણા પરિવારને બચાવવા શું કરવું ?

 એ વિચાર આવવા લાગે તે સ્વાભાવિક છે ત્યારે જૈન શાસ્ત્ર ફરી આપણી મદદે આવે છેજૈન શાસ્ત્રમાં શા માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ તે સરસ રીતે સમજાવ્યું છે. ઉકાળેલું પાણી શા માટે પીવાનું ?શું કાચાં પાણી ને ઉકાળવાથી તેમાં રહેલાં જીવો બળી ને મરી ન જાય ? તો ઉકાળેલું પાણી શા માટે પીવાનું ?

વિજ્ઞાનનો અભ્યાસ કહે છે કે પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતા ચાલતા જીવો છે.

આને જૈન ધર્મની પરિભાષામાં ત્રસ જીવો કહેવામાં આવે છે.

આ ત્રસ જીવો બહારથી આવ્યા છે.આ ઉપરાંત પણ અનેક જીવો જે અતિ સુક્ષ્મ છે.આપણે કલ્પના પણ ના કરી શકીએ અબજોના અબજોની સંખ્યામાં અસંખ્યાતા જીવો એક પાણીના ટીપામાં રહેલા છે.જે વીતરાગ પરમાત્માનું સાશન જીવ વિચારમાં જણાવે છે કે પાણીને ૩ ઉકાળા પૂર્વક ગરમ કરવાથી જીવ રહિત બને છે.

કાચા પાણીમાં અસંખ્યતા જીવોના જન્મ મરણની સાયકલ ચાલ્યા જ કરે છે.

પાણીને ઉકાળવાથી આ સાયકલ અટકી જાય છે.

ચોમાસામાં આ સમય ૯ કલાક (૩ પ્રહર) શિયાળામાં ૧૨ કલાક અને ઉનાળામાં ૧૫ કલાક જટલો હોય છે.ત્યાર બાદ ઉકાળેલું પાણી પણ ફરીથી સચિત થઇ જાય છે.જીવોની જન્મ મરણની દ્યટમાળ ચાલુ થઇ જાય છે.

જીવોને અભયદાન

આમ ઉકાળેલું પાણી પીવાથી અસંખ્યતા જીવોને અભયદાન આપવાનું શકય બને છે.

ઉકાળેલું પાણી તદ્દન જીવરહિત હોય છે.તેથી કાચું પાણી મોઢામાં અને ઉકાળેલું પાણી ત્રણ નવકાર ગણીને બેસીને વાપરવામાં જે મનના પરિણામો છે તેમાં જબરદસ્ત ફરક અનુભવાય છે.

જૈન માત્ર જયણાનું પાલન કરવામાં કદી પાછો ન પડે.જીવ માત્રની જયણા તો જૈન ધર્મ માટે ઙ્કમાઙ્ખ સમાન છે.

હા એક વાત જરૂર છે કે પાણીને ઉકાળવાથી તેમાં રહેલા જીવો બળીને મરી જાય છે, પણ સંખ્યાની સરખામણી કરો તો સમજાશે કે પાણીને ઉકાળવાથી જેટલા જીવો મરે છે તેના કરતા અસંખ્યાતગણા વધારે જીવોની જન્મ મરણની સાયકલ ચાલવાની હતી તે અટકતા તે બધાને અભયદાન મળે છે.

જે જીવો મરે છે, તેમની પણ આલોચના આપણે પ્રતિક્રમણ કરતા કાઉસગ્ગ દ્વારા લેવાની છે.

આમ અસંખ્ય જીવોને અભયદાન પ્રદાન કરનાર પરમાત્માનું શાસન ખરેખર ખુબ જ ઉપકારી છે.

ગરમ પાણી છે મહાઔષધગરમ પાણીના ખાસ ગુણો અને તેના ફાયદા

શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછા ૬ થી ૮ ગ્લાસ પાણી પીવું અત્યંત જરૂરી છે. પરંતુ ઠંડા પાણીની સાથે દરરોજ ૧થી ૨ ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો તે કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સમાં દવાનું કામ કરી શકે છે.

જો તમે સ્કિનની સમસ્યાથી પરેશાન છો અથવા સ્કિનમાં ગ્લો લાવવા માટે જાત-જાતના સૌંદર્ય પ્રસાધનો વાપરીને થાકી ગયા હોવ તો દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. તમારી સ્કિનની તકલીફો દૂર થવા લાગશે અને તમારી સ્કિન ગ્લો કરશે.

યુવતીઓને માસિક સ્ત્રાવ દરમિયાન પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી તરત રાહત થાય છે. માસિકસ્ત્રાવ દરમિયાન દુખાવામાં મસલ્સમાં ખેંચાણ થાય છે જેને ગરમ પાણી રિલેકસ કરી દે છે.

ગરમ પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નિકળી જાય છે. સવારે ખાલી પેટ અને રાત્રે ભોજન બાદ ગરમ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે અને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી.

ભૂખ વધારવામાં પણ એક ગ્લાસ પાણી બહુ ઉપયોગી છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબૂનો રસ, મરી પાઉડર અને મીઠું નાખીને પીવાથી પેટ ભારે થઈ જવાની સમસ્યા દૂર થઈ જાય છે.

ખાલી પેટે ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી રોગો દૂર થઈ જાય છે. સાથે હૃદયની બળતરા પણ દૂર થાય છે. વાતથી ઉત્પન્ન રોગોમાં ગરમ પાણી અમૃત સમાન ફાયદાકારક હોય છે.

નિયમિત ગરમ પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ પણ ઝડપથી થાય છે. ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. પરસેવા વડે શરીરના તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.

ચંરક સંહિતા મુજબ તાવામાં તરસ લાગવાથી દર્દીએ ગરમ પાણી જ પીવું જોઈએ, તેનાથી તાવમાં બહુ લાભ થાય છે.

જો શરીરના કોઈ ભાગમાં ગેસને કારણે દુખાવો થઈ રહ્યો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ શરીરમાંથી બહાર નીકળી જાય છે.

વર્તમાન સમયમાં પેટના રોગીની સમસ્યા દ્યણી વધી ગઈ છે. મોટાભાગની પેટ સંબંધી બીમારીઓ દૂષિત પાણીને કારણે થાય છે. જો પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવામાં આવે તો પેટની અનેક બીમારીઓથી બચી શકાય છે.

ગરમ પાણી સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે, ગરમ પાણી પીવાથી શકિતનું સંચાર થાય છે. આનાથી કફ અને શરદી સંબંધી રોગોમાં ક્ષીણ ઊર્જા ફરી પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.

દમ, હેડકી, વગેરે રોગોમાં, ખારાશ અને તળેલા ભોજન ખાધા બાદ ગરમ પાણી પીવાથી ઘણો લાભ થાય છે અને અનેક સમસ્યા દૂર થાય છે.

સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબૂ મિક્ષ કરીને પીવાથી શરીરને વિટામિન સી મળે છે. સાથે જ ગરમ પાણી અને લીંબૂનું સંગમ શરીરના રોગપ્રતિકારક તંત્રને પણ મજબૂત બનાવે છે. સાથે જ પી.એચનું સ્તર બની રહે છે.

દરરોજ એક ગ્લાસ ગરમ પાણી મગજના સેલ્સ માટે ટોનિકનું કામ કરે છે. આ માથાના સ્કેલ્પને હાઈડ્રેટ કરે છે જેથી સ્કેલ્પ ડ્રાય થવાની સમસ્યા ખતમ થઈ જાય છે.

વજન ઘટાડવામાં પણ ગરમ પાણી બહુ મદદ કરે છે. જમ્યાના એક કલાક બાદ ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે. જો ગરમ પાણીમાં થોડુક લીંબૂ અને મધના કેટલાક ટીપાં મિક્ષ કરી લેવામાં આવે તો શરીર સુડોળ બને છે.

હમેશા જુવાન દેખાવાની ઈચ્છા રાખનારા લોકો માટે ગરમ પાણી એક ઉત્ત્।મ ઔષધિ તરીકે કામ કરે છે. દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી અર્લી એજિંગ સાઈન્સ પરેશાન કરતાં નથી.

શું તમારે વજન ઘટાડવુ છે ?? તો રોજ પીવો ગરમ પાણી અને થઇ જાઓ સ્લિમ એન્ડ ટ્રીમ

પાણી આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. મનુષ્ય પાણી વગર જીવી ન શકે, પરંતુ નવાયું પાણી કે ગરમ પાણી પણ ફાયદાકારક છે. આ ગુણધર્મોની ખાણ છે. નવાયું પાણી પીવાથી જાડાપણું દ્યટે છે.

જાડાપણાથી કંટાળેલા લોકો માટે નવાયું પાણી ખૂબ જ ફાયદાકારક છે. ભોજન કરવાના અડધા કલાક પછી એક ગ્લાસ પાણી સિપ (દ્યૂંટ ભરીને) પીવાથી, શરીરનું વજન દ્યટે છે. આ પાછળનો તર્ક એ છે કે નવાયું પાણી અથવા ગરમ પાણી શરીરના ઝરી પદાર્થોને બહાર કરે છે. આ પ્રક્રિયાથી શરીરની ગંદગીને સાફ કરવાની પ્રક્રિયા ઝડપી થાય છે અને કિડની દ્વારા ગંદગી બહાર નિકળે છે.

આ સિવાય થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત પણ દૂર થાય છે.ગરમ પાણીથી નહાવાથી થાક મટે છે. અને ત્વચા નિખરે છે.ગરમ પાણી વાપરતા વજન ઓછું થાય છે અને સાથે-સાથે રકત પરિભ્રમણ પણ સંતુલિત થાય છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ મિકસ કરી પીવાથી રોગ પ્રતિકાર વધે છે ,તેમજ વજન દ્યટાડવામાં પણ ફાયદાકારક છે.કિડનીની યોગ્ય દેખરેખ માટે દિવસમાં ૨ વાર સવારે -સાંજે નવાયું પાણી પીવું જોઇએ જેથી શરીર હાજર ગંદગી દૂર થાય અને શરીર સાફ રહે છે. (જન હિતાર્થે :જૈન ક્રાંતિ સામાયિકમાંથી સાભાર.)

 : સંપાદન :

પારસ એસ. હેમાણી

(10:21 am IST)