Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વંશવાદને કારણે આમ આદમી માટે અવસરના દરવાજાબંધ: વરુણ ગાંધીની વંશવાદ મામલે મહત્વપૂર્વં ટિપ્પણી

યુપીની સુલ્તાનપુર બેઠક પરથી ભાજપના સાંસદ અને નહેરુ-ગાંધી પરિવારના સદસ્ય વરુણ ગાંધીએ વંશવાદના મુદ્દે સ્પષ્ટ ટીપ્પણી કરી છે.વરુણ ગાંધીએ કહ્યુ છે કે રાજનીતિ સહીતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વંશવાદને કારણે આમ આદમી માટે અવસરના દરવાજા બંધ થઈ રહ્યા છે..

  વંશવાદ ભારતની રાજનીતિનું સત્ય હોવાનું પણ તેમણે જણાવ્યું છે. વરુણ ફેડરેશન ઓફ કર્ણાટક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તરફથી આયોજીત ભારતના ભવિષ્યનો રસ્તો- અવસર અને પડકારો વિષય પર આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કર્યું છે. તેઓ સાંસદોના વેતન અને ભથ્થા નક્કી કરવા માટે અલગ સંસ્થા હોવાનું પણ વરુણ ગાંધી ભૂતકાળમાં જણાવી ચુક્યા છે.

(1:31 pm IST)