Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભારત 18 જૂન સુધીમાં સંપૂર્ણ કોરોના મુક્ત થશે : સિંગાપોર યુનિ,ઓફ ટેક્નોલોજીનો મોટો દાવો

ભારતમાં 21 મેં સુધીમાં 97 ટકા કોરોનાનો ખાત્મો : 8 ડિસેમ્બર સુધીમાં દુનિયામાંથી કોરોનાનો થશે અંત

નવી દિલ્હી : સમગ્ર  દેશ કોરોનસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે, ભારતમાં આગામી 18 જૂન સુધીમાં કોરોનાનો સંપૂર્ણ સફાયો થઇ જશે અને 21મી મેં સુધીમાં દેશમાં 97 ટકા કોરોનાનો ખાત્મો થઇ જશે તેમ સિંગાપોર યુનિવર્સીટી ઓફ  દાવો કર્યાનું હિન્દી ટીવી ચેનલના અહેવાલમાં જણાવાયું છે

 સિંગાપોર યુનીને ટાંકીને ચેનલમાં જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં આગામી 8 ડિસેમ્બર સુધીમાં કોરોનાનો અંત આવી જશે દુનિયાના 121 દેશમાં સર્વએ કરીને આ દાવો કરાયો હોવાનું જણાવાયું છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના આધારે સર્વે કર્યો અને દર્દીઓના સંક્રમણ અને સ્વસ્થ થવાને આધાર બનાવી આ ડેટા તૈયાર કર્યો હોવાનો દવાઓ કર્યો છે

(12:47 am IST)