Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને પરિસ્થિતિની વિગતો માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

રાજકોટ :પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી -ભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ  અમદાવાદ પહોંચીને  સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિ ની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી, મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત  શુકલા એ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિ નો ચિતાર આપ્યો હતો તે બેઠક ની તસવીરો.

(4:19 pm IST)