Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

બેગ્લોરનાં રાજરાજેશ્વરી નગરમાં વિધાયકના ઘરની નજીક બૉમ્બ વિસ્ફોટ : એકનું મૌત

નવી દિલ્‍હી :  બેગ્લોરનાં રાજરાજેશ્વરી નગરમાં વિધાયકના ઘરની નજીક ધમાકો થયાની ખબર આવી છે. અહીં વિધાયક મુનિરત્નના ઘરની પાસે વિસ્ફોટ થયો છે. આ ધમાકામાં એક વ્યક્તિની મૌત થઇ ચુકી છે. આ ઘટના વિશે જાણકારી મળ્યા પછી પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ઘટના વિશે તપાસ કરી રહી છે. હજુ સુધી ધમાકો થવાનું કારણ જાણી શકાયું નથી.

આ ઘટના વિશે જાણકારી આપતા બેંગ્લોર શહેરના પોલીસ કમિશ્નર ટી સુનિલ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બ્લાસ્ટમાં વેંકટેશ નામના વ્યક્તિની મૌત થઇ ચુકી છે. આ ધમાકો સવારે 9.20 વાગ્યો થયો. આ ઘટનાની જાણકારી મળ્યા પછી અહીં ફોરેન્સિક લેબની ટીમ પહોંચી ચુકી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

(4:13 pm IST)