Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

જો યુવાન યુગલો આસપાસ ફરશે નહીં તો પછી કોણ ફરશે ? : મમતા બેનરજી જ્યારે લવગુરૂ બની ગયા

નવી દિલ્હી : પ.બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ભાજપને આડેહાથ લીધો હતો. અને પ્રેમીઓએન હેરાન પરેશાન કરતી એન્ટિ રોમિયો સ્કવોડને વખોડી કાઢી હતી. કોલકાતા નજીક ડાયમન્ડ હાર્બર ખાતે એક જાહેરસભાને સંબોધતા મમતા બેનરજીએ જણાવ્યૂં હતું કે જે ભાઇઓ અને બહેનો પ્રેમમાં હોય છે અને જાહેર સ્થળોએ પોતાના પ્રેમની અભિવ્યકિત કરે છે તેમને આ ગુંડાઓ દ્વારા હેરાન કરવામાં આવે છે.

મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું હતું કે યુવાન યુગલોને મારા રાજયમાં કોઇપણ જાતના ડર વગર યુવાન યુગલોને ફરવાનો અધિકાર છે. તેઓ એ વાત સમજવામાં નિષ્ફળ ગયા છે કે છોકરા અને છોકરીઓ સારા મિત્રો પણ બની શકે છે.

(11:48 am IST)