Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

રાબડી દેવીના નિવાસસ્થાને ગોઠવાયેલા સીઆરપીએફ કર્મચારીની આત્મહત્યા

ગિરિયપ્પા કિરાસુર (ર૯), સીઆપીએફના ૧રર બટાલિયનના કોન્સ્ટેબલે રાજદ નેતાના હાઇસિકયોરીટી સકર્યુલર રોડ બંગલા ખાતે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હતી તેમ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (સચિવાલય) એ. કે. પ્રભાકરે જણાવ્યું

પટના : બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસસ્થાને ગોઠવાયેલા એક સીઆરપીએફ જવાને પોતાની સર્વિસ રીવેલ્વરમાંથી પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે તેમ પોલીસે જણાવ્યું હતું.

ગિરિયપ્પા કિરાસુર (ર૯) સીઆપીએફના ૧રર બટાલિયનના કોન્સ્ટેબલે રાજદ નેતાના હાઇ સિકયોરીટી સકર્યુલર રોડ બંગલા ખાતે પોતાની જાતને ગોળીમારીને આત્મહત્યા કરી હતી. તેમ ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ (સચિવાલય) એ. કે. પ્રભારે જણાવ્યું, શબને જવાનના વર્તન કર્ણાટકના બગલકોટ જિલ્લાના એક ગામમાં મોકલી દેવાયું છે. તેમ એસપીએ જણાવ્યું છે.

(11:47 am IST)