Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મૃતકોના પરિવારજનોને ૪ લાખ, ઇજાગ્રસ્તોને ૫૦ હજારની સહાયઃ વિજયભાઇની જાહેરાત

ટ્રક માલીક અને ડ્રાઇવર અંગે તપાસ કરવા આદેશ

ગાંધીનગર તા.૧૯: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ-ભાવનગર માર્ગ પર બાવલીયારી ગામ નજીક ટ્રકના થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યકિતઓ પ્રત્યે દિલસોજી અને શોકની લાગણી વ્યકત કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યકિતઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આ ગંભીર દુર્ઘટના અંગે ટ્રક ચાલક-ટ્રક માલીકની સંપૂર્ણ તપાસ માટે પણ તંત્રવાહકોને સૂચના આપી છે.(૧.૨૨)

(3:44 pm IST)