Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોનાની વધતી સ્પીડને કેવી રીતે રોકી શકાય?

એમ્સ ડાયરેકટર ગુલેરિયાએ જણાવી ૩ રીતઃ રસીકરણની સ્પીડ વધારવી જોઈએ અને ભીડ પર કાબૂ મેળવવો જોઈએ

નવી દિલ્હી, તા.૧૯: દેશભરમાં ૨૪ કલાકમાં ૨ લાખથી વધારે કેસ આવ્યા છે. તેવામાં કોરોનાની સ્પીડને કેવી રીતે કાબુમાં લઈ શકાય તેને લઈને એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ ૩ ખાસ સૂચનો કર્યા છે.  તેમણે કહ્યું કે સરકારે કેન્ટોનમેન્ટ ઝોન બનાવવા પર ખાસ વાતનું ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત રસીકરણની સ્પીડ વધારવી જોઈએ અને ભીડ પર કાબૂ મેળવવો જોઈએ.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ડો. ગુલેરિયાએ જણાવ્યુ તે આપણે વધારે એલર્ટ રહેવાની જરુર હતી. તેમના જણાવ્યાનુસાર અમને ખબર હતી કે દુનિયાભરમાં કોરોનાના અનેક વેરિએન્ટ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે ૩-૪ વસ્તુઓનું ધ્યાન રાખવાની જરુર છે. વાયરસના સંક્રમણને ફેલતો અટકાવવા માટે આપણે વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્ટોનમેન્ટ ઝોન બનાવવાની જરુર છે. આ કડક નિયમ લાગૂ થવા જોઈએ. તેવા વિસ્તારમાં વધારેમાં વધારે ટેસ્ટ થવા જોઈએ. બીજી વસ્તુએ છે કે આપણે ભીડ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. ત્રીજુ સૌથી વધારે રસીકરણની સ્પીડ વધારવી જોઈએ.

હાલ દેશમાં રેમડેસિવિર ઈન્જેકશનને લઈને હોબાળો થઈ રહ્યો છે. અનેક શહેરોમાં આની કાળાબજારી થઈ રહ્યાના સમાચાર છે. ડો. ગુલેરિયાનું કહેવું છે કે આ ઈન્જેકશન લોકોને ફકત હોસ્પિટલ જતા રોકી શકશે. પરંતુ આનાથી મોતના દરમાં કોઈ દ્યટાડો નહીં આવે. તેમણે કહ્યું રેમેડેસિવીર એક એન્ટી વાયરલ દવા છે. જેનાથી ઈબોલા માટે બનાવવામાં આવ્યા હતા. શરુઆતના દિવસોમાં આ ઈન્જેકેશનથી ચીનમાં કોરોનાના દર્દીમાં કોઈ અસર જોવા નહોંતી મળી. પછીથી જોવા મળ્યું કે થોડી દ્યણી અસર થાય છે. આ સમયે અમારી પાસે કોઈ સારી અને અસરદાર એન્ટીવાયરલ ડ્રગ નથી. સાથે અમારી પાસે કોરોનાની કોઈ સારવાર નથી.

ગત ૨૪ કલાકમાં દેશમાં  ૨,૬૧,૫૦૦ નવા મામલા સામે આવ્યા. સાથે ૧૫૦૧ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હીની સાથે દક્ષિણમાં કર્ણાટક અને કેરળ સુધી મોટી સંખ્યામાં નવા મામલા સામે આવી રહ્યા છે. તેવામાં લોકોને ઘણી સાવધાની રાખવાની જરૂર છે.

(9:59 am IST)