Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

હુ રીટાયર નથી થતો : રાહુલ પી.એમ. બને તો એમને સાથ આપીશઃ દૈવ ગૌડા

     જેડી(એસ) પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાએ કહ્યુ છે કે તે બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીની જેમ રીટાયર નથી થઇ રહ્યા. અને જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે તો તે એમને સાથ આપશે. દેવગૌડાએ  કહ્યું ૩ વર્ષ પહેલા એમણે ચૂંટણી ન લડવાનુ એલાન કર્યુ હતુ. પણ થોડી પરિસ્થિતીઓને લઇ એમને ચૂંટણી લડવી પડી છે.

(12:13 am IST)