Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

'૧૪ પાટીદારોને ભરખી ગયો' તેમ કહીને કડી પંથકના તરૂણ ગજ્જરે હાર્દિક પટેલને લાફા ઝીંકયા

રાજકોટ, તા. ૧૯ :. '૧૪ પાટીદારોને ભરખી ગયો' તેમ કહીને હાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર શખ્સ કડીના જેસલપુર ગામનો તરૂણ ગજ્જર હોવાનુ જાણવા મળ્યુ છે.

આ શખ્સને હુમલા બાદ લોકોએ પકડીને માર માર્યો હતો. જેને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

(3:33 pm IST)