Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મહિલા પર અત્યાચાર પુરાવા દિગ્વિજયસિંહને અપાશે : પ્રજ્ઞા ઠાકુર

કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદ સાથે સરખાવ્યા છે : તેમના પર જે રીતે અત્યાચારો કરવામાં આવ્યો તે રીતે તો ગુલામીના સમયમાં પણ કરાતો ન હતો : પ્રજ્ઞાનો આક્ષેપભોપાલ

 ભોપાલ,તા.૧૮: મધ્યપ્રદેશના ભોપાલ સંસદીય સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદ સાથે જોડીને એક મહિલાને અપમાનિત કરી હતી. તેમના પર અત્યાચાર કર્યો હતો. તેઓ આ મુદ્દાને લઇને પ્રજા વચ્ચે જનાર છે. સાથે સાથે અત્યાચારના પુરાવા પણ રજૂ કરશે. સાધ્વી પ્રજ્ઞાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે હિન્દુ લોકોને આતંકવાદ સાથે જોડ્યા છે. હિન્દુઓને આતંકવાદ ગણાવ્યા છે. દિગ્વિજયસિંહ પુરાવા માંગી રહ્યા છે જેથી તેમને પુરાવા આપવામાં આવશે. માલેગાંવ બોંબ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું છે કે, એક મહિલાને કઈ રીતે અપમાનિત કરવામાં આવી હતી. કાયદા સાથે કઇરીતે રમત રમવામાં આવી હતી. હવે તેઓ પ્રજાની વચ્ચે જશે. સાધ્વીએ પોતાની સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમની સાથે જેવું વર્તન કરવામાં આવ્યું છે તેવું વર્તન ગુલામીના સમયમાં પણ કોઇની સાથે કરવામાં આવ્યું ન હતું. આવનાર દિવસોમાં કોઇ મહિલાની સાથે આવું કરવામાં આવશે નહીં. તેના ઉપર વિશ્વાસ બેસી શકે નહીં. દિગ્વિજય પોતે પુરાવા માંગી રહ્યા છે જેથી તેમને પુરાવા આપવામાં આવશે. પ્રમાણ વગર તેઓ કોઇ વાત કરતા નથી. કોંગ્રેસે હજુ સુધી જે ગેરકાયદે કામો અને ષડયંત્રો રચ્યા છે તેના પુરાવા આપવામાં આવશે. ભાજપે ભોપાલ સંસદીય બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયની સામે સાધ્વી પ્રજ્ઞાને ઉતારી છે જેથી આ સ્પર્ધા વધારે તીવ્ર બની ગઈ છે.  સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી તરીકે રહ્યા છે. દિગ્વિજયસિંહ ૧૬ વર્ષ બાદ ચૂંટણી લડી રહ્યા છે. ૧૯૯૩થી ૨૦૦૩ સુધી સતત ૧૦ વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા દિગ્વિજયસિંહ ૨૦૦૩ બાદ હજુ સુધી કોઇપણ લોકસભાઅથવા વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી. ૨૦૦૮માં સાધ્વી પ્રથમ વખત ચર્ચામાં આવી હતી. ૨૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટ કેસના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. નવ વર્ષ સુધી સાધ્વી જેલમાં રહ્યા હતા. હાલમાં જામીન ઉપર છે. જામીન ઉપર બહાર આવ્યા બાદ તેમનું કહેવું છે કે, સતત ૨૩ દિવસ સુધી તેમને હેરાન પરેશાન કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સાધ્વી ભાજપમાં સામેલ થયા છે તે પાર્ટીની મનોદશાને રજૂ કરે છે. સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજય એકબીજાના જોરદાર વિરોધી તરીકે રહ્યા છે. દિગ્વિજયસિંહ કોંગ્રેસના એવા પસંદગીના નેતાઓ પૈકી એક છે જે લોકોએ યુપીએ સરકારના ગાળામાં ભગવા આતંકવાદના મુદ્દા ઉપર જોરદાર હોબાળો મચાવ્યો હતો. આજ કારણસર સાધ્વી પ્રજ્ઞા ચૂંટણી મેદાનમાં દિગ્વિજયની સામે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.

હવે પ્રજ્ઞાની ઉમેદવારીની સામે અંતે ફરિયાદ કરાઈ

પીડિતના પિતા દ્વારા ફરિયાદ કરાઈ

ભોપાલ,તા.૧૮ : ભારતીય જનતા પાર્ટી દ્વારા માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને લોકસભા ટિકિટ આપી દેવામાં આવ્યા બાદ ભારે વિવાદ રહ્યો છે. આજે માલેગાંવ બ્લાસ્ટના એક પીડિતના પિતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમની ઉમેદવારી અયોગ્ય છે. પીડિતના પિતાએ ફરિયાદ કરતા કહ્યું છે કે, તેમની ઉમેદવારી સામે તેઓ પડાકર ફેંકે છે. અરજીમાં પ્રજ્ઞાના આરોગ્યને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કારણ કે એનઆઈએની અદાલત દ્વારા આરોગ્યના કારણોસર તેમને જામીન આપ્યા હતા. હાલમાં જામીન પર રહેલા પ્રજ્ઞાને ભાજપે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલની લોકસભા સીટ પર ઉમેદરવાર બનાવ્યા છે.

સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજય એકબીજાના તીવ્ર વિરોધી રહ્યા છે. ૨૦૦૮માં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર એ વખતે ચર્ચામાં આવી હતી જ્યારે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. નવ વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ તેઓ છુટીને બહાર આવ્યા છે. તેઓ જામીન પર છે. સંઘના પ્રચારક સુનિલ જોશી હત્યાકાંડમાં પણ આરોપી હતા પરંતુ કોર્ટે તેમને છોડી મુક્યા હતા

(12:00 am IST)