Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

મુંબઈમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં હજારો લોકો ઉમટી પડ્યા: ૩૬ મહિલાઓના ચેનની ઉઠાંતરી

વિવાદાસ્પદ બનેલા બાગેશ્વરધામ સરકાર, ધીરેન્દ્ર શાસ્ત્રીનો મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ૨ દિવસનો ભવ્ય દરબાર સજાવવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અનુયાયીઓ ઉમટી પડેલ. આ કહેવાતા દિવ્ય દરબારમાં ચોર ટોળકીએ હાથ સાફ કર્યો, અનેક મહિલાઓના લાખો રૂપિયાના ઘરેણાં ઉપાડી ગયાની ફરિયાદ..
 
જે લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, તેમાંથી મોટા ભાગની મહિલાઓ હતી. આ મહિલાઓનો આરોપ હતો કે, આ કાર્યક્રમ દરમિયાન તેમના ગળામાંથી મંગળસૂત્ર ઉપરાંત સોનાના ચેન ચોરી થઈ ગઈ છે.અત્યાર સુધીમાં ૩૬ મહિલાઓના મંગળસૂત્ર અને ગળાના ચેનની ચોરીની ફરિયાદ થઈ છે

 

(12:01 pm IST)