Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાથી બચવા માટે ગૌમુત્ર વેંચવાવાળા બીજેપી કાર્યકર્તાની ધરપકડ

       કોલકતા પોલીસએ ગૌમુત્ર સેવન કાર્યક્રમ આયોજીત કરવાવાળા એક બીજેપી કાર્યકર્તાની ધરપકડ કરી છે. પોલીસએ બુધવારના કહ્યું કે  આ કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે ગૌમુત્રના સેવનથી કોરોના વાયરસથી બચી શકાય છે. અને પહેલેથી સંક્રમિત લોકો પણ આનાથી ઠીક થઇ જશે. જયારે ગૌમુત્રના સેવન પછી એક શખ્સ બિમાર પડી ગયો  હતો.

        પોલીસએ કહ્યું કે પીડિતની ફરિયાદ પર બીજેપી કાર્યકર્તાની મંગળવારે મોડી રાત્રે ધરપકડ કરવામા આવી હતી.  પોલીસ અધિકારીઓના મુતાબિક ઉતરી કલકતાના  જોરાસાખો વિસ્તારની સ્થાનીય પાર્ટી કાર્યકર્તા નારાયણ ચેટરજીએ સોમવારના એક ગૌશાળામા ગૌપુજા કાયૃક્રમનું  આયોજન કર્યુ હતુ. અને ગૌમુત્ર વિતરીત કર્યુ હતુ. એમણે બીજાને ગૌમુત્ર આપતા આ ચમત્કારિક ગુણોની કદર કરી હતી.

(12:00 am IST)