Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મનોહરજીની વિદાય ખુબ જ પીડાદાયકઃ અમિતભાઈ શાહ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહે ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના નિધનથી ઉંડા દુઃખની લાગણી વ્યકત કરેલ. તેમણે ટ્વીટ કરી જણાવેલ કે મનોહરજીની વિદાય ખુબ જ પીડાદાયક છે. તેમણે તેમનું જીવન રાષ્ટ્ર અને વિચારધારાને સમર્પિત કરેલ. પાર્રિકરજી ગોવાના લોકો અને તેમની સુખાકારી માટે હંમેશા કાર્યરત રહ્યા હતા. તેમને ગોવાના મુખ્યમંત્રી અને ભારતના સંરક્ષણ પ્રધાન તરીકે હંમેશા યાદ કરાશે.

(3:44 pm IST)