Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભારતીય સેનાનો વળતો જવાબ : પાક.ના ચાર કેમ્પો નષ્ટ

અખનૂરના કેરી બટ્ટલ સેકટરમાં મોડી સાંજે પાકે કર્યો ગોળીબારઃ પાક.ના સૈનિકોના મોતના અહેવાલો

રાજૌરી, તા. ૧૮ : જમ્મુના અખનૂરના કેરી બટ્ટલ સેકટરમાં પાક. સેનાને ગોળીબારીનો વળતો જવાબ મળ્યો છે. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને ત્રણથી ચાર પાક. ચોકીઓને ભારે નુકશાન થયું છે. તેમાં અનેક પાક. સૈનિકોના મરવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે હજુ તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે સાડા છ વાગ્યે પાક. સેનાએ એકાએક કેરી બટ્ટલ સેકટર ગોળીબાર શરૂ કરવામાં આવ્યો. ભારતીય સેનાની અગ્રિમ ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા, તેના પર ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાક. સેનાની ત્રણથી ચાર ચોકીઓને નુકશાન. સુચનાએ છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં પાક. સૈનિકો ઠાર થયા છે. ઉલ્લેખનીય છે કે આ સેકટરમાં પાક. સેનાને અગાઉ પણ અનેક નુકશાન પહોંચ્યું છે.

(3:43 pm IST)