Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મોદી હૈ તો મુમકીન હૈ :આજે સમાજનો દરેક વર્ગ વિકાસ, સુશાસન અને રાષ્ટ્રવાદ મુદ્દે જાગૃત :યોગી આદિત્યનાથ

કોંગ્રેસ, સપા-બસપા અને રાજદ-તૃણમુલ જેવા પક્ષો જે કામ ન કરી શક્યા તેમોદીના નેતૃત્વમાં સંભવ થયા

નવી દિલ્હી :રાષ્ટ્રીય સુરક્ષા મામલે વાત કરતા યોગી આદિત્ય નાથે કહ્યું કે સમાજનો દરેક વર્ગ વિકાસ, સુશાસન, અનો રાષ્ટ્રવાદ જેવા મુદ્દા પર જાગૃત છે. યોગી આદિત્યનાથે જણાંવ્યું કે કોંગ્રેસ, સપા-બસપા અને રાજદ-તૃણમુલ જેવા પક્ષો જે કામ ન કરી શક્યા તે નરેન્દ્ર ભાઈ મોદીનાં નેતૃત્વ વાળી સરકારમાં સંભવ થયા છે. યોગીએ કહ્યું કે જે પહેલા અશક્ય હતું, આજે તે શક્ય બન્યું છે. મોદી હૈ તો મુમકિન હૈ.   

   યોગીએ જણાંવ્યું કે અમને વિશ્વાસ છે કે પીએમ મોદીનાં નામ અને કામની લીધે લોકસભા ચૂંટણીમાં ભાજપ જ્વલંત વિજય મેળવશે. તેમણે કહ્યું કે  2014ની ચૂંટણીમાં મોદીનું નામ હતું. 2019ની ચૂંટણીમાં નામ અને કામ બન્ને છે.

(6:53 pm IST)