Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

દિલ્હીના આયાનગર વિસ્તારમાં લોકોને મળે છે મોતના મેસેજ: પાર્ષદએ સદનમાં ઉઠાવ્યો સવાલ

'તમારી ડેથ રજિસ્ટ્રેશનની રિકવેસ્ટને સ્વિકારી લેવાઈ છે ' ઘણા લોકોને આ પ્રકારના મેસેજ આવ્યા

 

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના આયાનગર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં લોકોને એક મેસેજ આવી રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે  'તમારી ડેથ રજિસ્ટ્રેશનની રિકવેસ્ટને સ્વિકારી લેવામાં આવી છે. સૌથી આશ્વર્યની વાત છે કે મેસેજ સાઉથ દિલ્હી નગર નિગમ દ્રારા આવી રહ્યો છે.

સાઉથ દિલ્હીના આયાનગરમાં રહેનાર વિનોદ શર્મા (54) તેમને લગભગ એક મહીના પહેલાં મેસેજ મળ્યો હતો. શરૂઆતમાં તો તે ડરી ગયા, પરંતુ પછી તેમને લાગ્યું કે કોઇએ તેમની સાથે મજાક કરી છે. ત્યારબાદ તેમણે સીધા પોતાના કાઉંસિલરને ઇનફોર્મ કર્યા. જોકે મેસેજ મળનાર વિનોદ એકલા હતા. એવા ઘણા લોકો છે તેમને પ્રકારના મેસેજ આવ્યા છે.

 આયાનગર એક તરફ નિવાસી 24 વર્ષીય રોહિત બેંસલાને પણ મેસેજ મળ્યો. રોહિતના પિતા રાજ્યપાલ બેંસલાનું ડિસેમ્બરમાં મૃત્યું થઇ ગયું હતું ત્યારબાદ રોહિતે તેમના ડેથ સર્ટિફિકેટના રજિસ્ટ્રેશન માટે એપ્લાય કર્યું હતું. પરંતુ એસડીએમસી દ્રારા તેમનું રજિસ્ટ્રેશનને કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. રોહિતે 4 વાર એપ્લાય કર્યું પરંતુ દરેકવાર કોઇને કોઇ કારણ વશ તેમની એપ્લિકેશન રિજેક્ટ થઇ ગયું. વખતે એપ્લિકેશન એક્સેપ્ટ થયું તો મેસેજ આવ્યો

પાર્ષદએ સદનમાં ઉઠાવ્યો સવાલ

મામલો સામનો આવ્યા બાદ આયાનગરના નિગમ પાર્ષદ વેદ પાલ લોહિયાએ તેને SDMC ના સદનમાં ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મારા સંજ્ઞાનમાં મામલો આવ્યો છે કે લોકોને પ્રકારના મેસેજ આવી રહ્યા છે. હું સોમવારે હાઉસ મીટિંગમાં વાત ઉઠાવી છે. તમે સરકાર પાસે આશા રાખતા નથી કે પ્રકારના ખરાબ અંગ્રેજીમાં મેસેજ આવશે.

(12:00 am IST)