Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

તમારી અંદરના કચરાને દુર કરનાર સદગુરૂ છે ઓશો

૨૦૦૨માં મુંબઇમાં હું એક ઓશો સેન્ટર સાથે જોડાઇ. આ એવો સમય હતો જ્યારે હું પોતાની સમસ્યાઓ, સવાલો, સંવેગો સાથે લડી રહી હતી. ત્યારે મેં બોર્ન અગેઇન કોર્સ કર્યો અને કેટલાય ધ્યાન ઓશો પ્રયોગો શરૂ કર્યા. તેનાથી મારા જીવનમાં એક અદ્ભૂત પરિવર્તન આવવાનું શરૂ થયું. હું ઓશોનો સન્યાસ લેવામાં ખચકાઇ રહી હતી ત્યારે ઓશોની એક પત્રિકા મારા હાથમાં આવી. જેમાં સન્યાસના મહત્વ અંગેની વાત હતી તે વાંચ્યા પછી મેં પુના રિસોર્ટમાં આવીને સન્યાસ લીધો અને નામ રાખ્યું પ્રેમ સંદેશ. ત્યારથી મને એવું મહેસૂસ થયું કે મારૂ જીવન હવે ખરેખર એક પ્રેમનો સંદેશો બની ગયું છે. હું માનું છું કે સન્યાસ નામકરણ પાછળ અસ્તિત્વનો ઉંડો ઉદ્ેશ છુપાયેલો હોય છે જે તમારી ચેતના અનુસાર, ખુશ્બુ અનુસાર તમને મળે છે.

 

ઓશો સાથે મારૂ કનેકશન બહું મજબૂત છે. ઓશો મારા પ્રાણ અને જીવનના આધાર બની ગયા છે. ઓશો એવા સદ્ગુરૂ છે જે તમારી અંદરના કચરાને ખાલી કરે છે. અને તેમની ઉર્જા તમારી આજુબાજુ ઉપસ્થિત રહે છે.

મલ્લિકા ધઇ (ફિલ્મ અભિનેત્રી)

(3:54 pm IST)