Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

દિલ્હીમાં ભાજપના સભ્યો ૬પ લાખ કમળને મત મળ્યા માત્ર ૩પ લાખ

ખુદ કાર્યકરોને પણ નેતૃત્વ પર ભરોસો ન રહ્યો ! : તોગડિયા

રાજકોટ : આતંરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના વડા ડો. પ્રવિણભાઇ તોગડિયાએ અકિલાને જણાવેલ કે દિલ્હી વિધાનસભા વિસ્તારમાં ભાજપના ૬પ લાખ સભ્યો નોંધાયેલા છે. ચૂંટણીમાં ભાજપને કુલ ૩પ લાખ મત મળ્યા છે. તેનો સીધો અર્થએ થાય કે ભાજપના જ અડધા જેટલા સભ્યોએ ભાજપને મત આપ્યો નથી.

ભાજપના અનેક પ્રમાણિક કાર્યકરો એક બાજુ ધકેલાઇ ગયા છે. ૬પ લાખ સભ્યો સહિતના મતદારોમાંથી માત્ર ૩પ લાખ જ મત મળતા હોય ત્યારે પરિવારના સભ્યોને જ પરિવારના વડાઓ પર ભરોસો રહ્યો ન હોવાનું સ્પષ્ટ થાય છે. ભાજપ માટે આ ચિંતાનો વિષય છે.

(1:25 pm IST)