Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

શ્રમજીવીઓના પરિવારો પ્રત્‍યે સંવેદના વ્‍યકત કરતા વિજયભાઇઃ બે લાખની સહાય

રાજકોટઃ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં ગઇરાત્રે ફુટપાથ ઉપર સુતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્‍પર ફરી વળવાની ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્‍યે સંવેદના વ્‍યકત કરી દિલસોજીની લાગણી વ્‍યકત કરી છે. મુખ્‍યમંત્રીશ્રીએ આ ઘટનામાં મૃત્‍યુ પામેલા પ્રત્‍યેક શ્રમજીવીને બે લાખ રૂપિયાની રાજય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી છે.

(10:54 am IST)