Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

શ્રીનગરના હૈદરપોરામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે લોકોના મોત બાદ કાલે બંધનું ઍલાનઃ રાજનેતાઓ દ્વારા ન્યાયીક તપાસની ખાત્રી

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૮ :. શ્રીનગરના હૈદરપોરામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે વ્યકિતઓના મોત થતા રાજકારણ ગરમાયુ છે. હુરિયત સંઘ દ્વારા શુક્રવારે બંધનું ઍલાન આપવામાં આવ્યુ છે. જ્યારે રાજકીય નેતાઓ દ્વારા ન્યાયીક તપાસની ખાત્રી આપી છે.

ઉંમર ફારૂકના નેતૃત્વવાળા હુરિયત કોંગ્રેસે શુક્રવારે કાશ્મીર બંધનું ઍલાન આપતા જણાવ્યુ છે કે, આ અથડામણમાં બે લોકોના મોતથી લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

ઉપરાજ્યપાલ મનોજ સિન્હાઍ જણાવ્યુ છે કે, આ ઘટનામાં સચ્ચાઈ સામે લાવવા માટે મેજીસ્ટ્રીટલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(5:19 pm IST)