Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

બિહારમાં કોમીઅેકતા ઉપર જોખમ : દેવી-દેવતાની વિસર્જન યાત્રાનો રૂટ ફેરવવો પડ્યો

પટણા : બિહારનું સીતામઢી શહેર. 20મી ઑક્ટોબરે દશેરાની ધૂમધામ પછી દુર્ગા દેવીની મૂર્તિના વિસર્જન માટેની યાત્રા એવા વિસ્તારમાંથી કાઢવામાં આવી, જ્યાં તેના માટેની મંજૂરી નહોતી. વહીવટ તંત્રે આ વિસ્તારને તનાવગ્રસ્ત જાહેર કર્યો હતો તેથી ત્યાં મંજૂરી નહોતી.

વિસર્જન યાત્રા પર પથ્થરમારો થવાના ખબર મળ્યા અને તે પછી મૂર્તિને બીજા રસ્તેથી લઈ જવાઈ.

જોકે, આ વાતની ખબર શહેરના બીજા વિસ્તારોમાં ફેલાઇ તે સાથે જ ટોળાં એકઠાં થયા અને આ મહોલ્લા પર હુમલો થયો.

બંને તરફથી પથ્થરમારો શરૂ થયો. પોલીસે જઈને મામલો થાળે પાડ્યો અને ઇન્ટરનેટ પણ બંધ કરાવી દીધું.

પોલીસનો દાવો હતો કે પરિસ્થિતિ પર તરત જ કાબૂ મેળવી લેવાયો હતો.

(12:33 pm IST)