Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ચોટીલા પાસે આવેલા માઘરીખડા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : એક જ પરિવારના ૬ લોકોના ઘટના સ્થળે મોત. માતા, પુત્ર, પત્ની અને ૨ પુત્રી, ૧ પુત્ર સહિત સુરેન્દ્રનગરના ગોહેલ પરિવારના ૬ જીવનદીપ બુજાયા સુરેન્દ્રનગર ચોટીલા સાયલા હાઇવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત...

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગ: સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા ચોટિલા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો.

સાયલા અને ચોટીલા વચ્ચે આવેલા માઘરીખડા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. ઈજા ગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સાયલા અને ચોટીલા હાયવે બ્લોક થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં  કેટલાક સમયથી અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે  ગઇ કાલે  સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી બગોદરા પાસે અકસ્માતમાં પરપ્રાંતિય ર યુવાનોના મોત થયા હતા. ત્યારબાદ  આજે  સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ચોટીલા હાઇવે ઉપર અકસ્માત સર્જાયો અને સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા અને ચોટીલા વચ્ચે આવેલા માઘરીખડા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ૬ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ૬ લોકોના ઘટના સ્થળે મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. અને સાયલા એન ચોટીલા હાઇવે બ્લોક થયો હતો.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મૃત્યુ પામનાર ગોહેલ પરિવાર.

. નિરજ રસિકભાઈ ગોહેલ ૪૦ વર્ષ

. પત્ની દીનાબેન ૪૦ વર્ષ

. માતા ધીરજબેન ૬૫ વર્ષ

. નિધિ પુત્રી ૧૩ વર્ષ

. આયુશી પુત્રી વર્ષ 

. શિવાંગ પુત્ર વર્ષ

ગોહેલ પરિવાર સુરેન્દ્રનગરમાં

દૂધની ડેરી, સી યુ શાહ ઈંગ્લીશ

સ્કુલ પાસે રહેતા હતા..

(12:00 am IST)