Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મુંબઇઃ પરિવારે છોડયો સાથઃ એકલવાયામાં જ દુનિયા છોડી ગયો ૨૦૦ કરોડની સંપતિનો માલિક

નિખીલ ઝવેરીનું ન્યુમોનિયાથી મોતઃ ર વર્ષથી હતા હોસ્પિટલમાં : અંતિમ શ્વાસ લીધા ત્યારે ઝવેરી પરિવારનું કોઇ સાથે ન્હોતુ

મુંબઈ, તા.૧૮: દેશની આર્થિક રાજધાની મુંબઈના નેપિયન સી રોડ સ્થિત ૨૦૦ કરોડ રુપિયાની સંપત્તિના માલિક નિખિલ ઝવેરીનું બુધવારે નિમોનિયાના કારણે મોત થયું હતું. ઝવેરી બે વર્ષથી હોસ્પિટલમાં જ ભરતી હતી. વક્રતા તો જુઓ કે હોસ્પિટલમાં જ જીવનના અંતિમ શ્વાસ લેવાવાળા ઝવેરીના મોતના સમયે પણ તેના પરિવારમાંથી કોઈ સભ્ય હાજર નહોતું. પોલીસે મહામહેનતે ઝવેરીના દીકરાને શોધ્યો અને તેમને ઝવેરીને મોતની જાણકારી આપી હતી.

નિખિલ ઝવેરી છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર શારીરિક અને માનસિક બીમારીઓ સામે લડી રહ્યા છે. વર્ષ ૨૦૧૩માં તેઓ કાંદિવલીમાં પોતાની બહેનના દ્યરેથી અચાનક જ ગાયબ થઈ ગયા. જે બાદ તેમને બોરીવલી પોલીસ સ્ટેશન નજીકથી શોધવામાં આવ્યા અને NGO દ્વારા સંચાલિત એક આશ્રમમાં મોકલી દેવામં આવ્યા. જાન્યુઆરી ૨૦૧૪માં તેમની ઓળખ નિખિલ વિઠ્ઠલદાસ ઝવેરી સ્વરુપે કરવામાં આવી. તે જ વર્ષે ઓગસ્ટમાં ગિરગામમાં એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જયાં તેઓ વર્ષ ૨૦૧૭ સુધી એડમિટ રાખવામાં આવ્યા.

જે બાદ કોર્ટે તેમને જેજે હોસ્પિટલ ભરતી કરવાનો આદેશ આપ્યો. સાથે જ કોર્ટે ઝવેરીને સંપત્તિને લઈને કોઈપણ થર્ડ પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારની ડીલ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. તેમજ પ્રોપર્ટી સંરક્ષણ માટે રિસીવરની નિયુકતી કરી. જેજે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ઝવેરી છેલ્લા બે વર્ષથી હોસ્પિટલમાં દાખલ હતા તેમ છતા તેમના પરિવારનો એક પણ સદસ્ય તેમના સમાચાર કે દેખભાળ માટે આવ્યો નથી. ઝેવરી પાસેથી હોસ્પિટલનું ૧.૫ લાખ રુપિયાનું બીલ હજુ બાકી છે.

જાણકારી મુજબ ઝવેરીના બે લગ્ન થયા હતા અને બંને પત્ની સાથે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમની બીજી પત્નીથી તેમને એક દીકરો પણ છે. જે વિદેશમાં રહે છે. પોલીસે ખૂબ જ દોડધામ કરીને આ દીકરાનો સંપર્ક સાધ્યો હતો. તેમની દીકરા રેયાને પોલીસને જણાવ્યું કે હાલ તે વિદેશમાં છે પરંતુ શુક્રવાર સુધીમાં તેમના મૃતદેહને લેવા માટે ભારત આવશે.

ઝવેરીને સંપત્ત્િ। માટે તેમની પૂર્વ પત્ની, દીકરા અને બહેનોના પતિ વચ્ચે વિવાદ છે. ઝવેરીને પહેલી પત્ની દિપ્તી પંચાલે તેમની સંપત્ત્િ। પર પોતાનો દાવો કરતા કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે બાદ રેયાને દિપ્તી પંચાલ વિરુદ્ઘ પોતાના પિતાની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો આરોપ લગાવતી FIR દાખલ કરી દીધી હતી.

તે ઉપરાંત પંચાલની મદદ કરવા માટે તેમણે ઝવેરીની ત્રણ બહેનોના પતિઓ મુરલી મહેતા, નિતિન પારેખ અને શૈલેષ પારેખ વિરુદ્ઘ પણ કેસ દાખલ્ કર્યો છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક વિંગ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

(4:02 pm IST)