Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આલોકનાથ વિરૂદ્ધ દાખલ કરી વિન્તા નંદાએ પોલીસ-ફરિયાદ

મુંબઇ તા.૧૮: વિન્તા નંદાએ ગઇકાલે આલોક નાથ વિરૂદ્ધ પોલીસ-ફરિયાદ કરી હતી. આલોકનાથે ૧૯ વર્ષ પહેલાં હિંસક રીતે બળાત્કાર કર્યો હોવાનો આરોપ વિન્તાએ મૂકયો હતો. આ આરોપને પગલે આલોક નાથ અને તેની પત્નીએ વિન્તા વિરૂદ્ધ બદનક્ષીનો દાવો મૂકયો હતો. તેમણે લેખિતમાં માફીની સાથે એક રૂપિયાની ડિમાન્ડ કર ીહતી. સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ અસોસિએશન અને ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેકટર્સ અસોસિએશન દ્વારા આલોક નાથને નોટીસ પણ મોકલવામાં આવી હતી.  તેના પર કોઇ પોલીસ-ફરિયાદ કરવામાં નથી આવી એમ કહીને તેણે નોટીસનો જવાબ આપવાની ના પાડતાં જ વિન્તાએ ગઇકાલે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ વિશે વિન્તાએ કહયું હતું કે 'પોલીસે ખૂબ જ સારો સાથ આપ્યો હતો અને તેમણે મારૃં સ્ટેટમેન્ટ લઇ લીધું છે. મારા માટે આ સ્ટેટમેન્ટ આપવું સહેલું નહોતું, કારણ કે આ જૂના ઘાવને ફરી તાજા કરવાનો અહેસાસ હતો. અમે આલોક નાથ વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી છે. અને એ તેમણે નોંધી પણ લીધી છે.'(૧.૫)

(11:30 am IST)