Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

તામિલનાડુમાં રાષ્ટ્રીય પક્ષી મોરના ૨૮ મૃતદેહો મળી આવતા અરેરાટી

નવી દિલ્હી : મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેની હિંસા ગુન્હો બને છે. ત્યારે તામિલનાડુના તુતુકુડીના કોવિલપટ્ટીના એક ખેતરમાંથી એક સાથે ૨૮ જેટલા મોરના મૃતદેહો મળી આવતા ભારે અરેરાટી પ્રસરી છે.

તપાસ અર્થે આવી પહોંચેલ વન અધિકારીઓનું કહેવુ છે કે જંતુ નાશક દવાવાળા બી ખાઇ જવાથી ઘણીવાર પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે. ત્યારે આ કિસ્સામાં પણ એવુ થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યુ છે.

જો કે હાલ વનખાતાના અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. જો આ પક્ષીઓનો જાણીજોઇને કોઇએ ઝેર આપ્યુ હશે તો તેમની સાથે પગલા ભરવામાં આવશે.

(2:29 pm IST)