Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હવે વિશેષ પૂજા વખતે પણ ભક્તો તિરુપતિ બાલાજીના કરી શકશે દર્શન:પ્રતિબંધ નાબૂદ

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય પાછો ખેંચ્યો

તિરુમાલા પર્વત પર ભગવાન વેંકટેશ્વરના વિશ્વ વિખ્યાત મંદિરના મેનેજમેંટ દ્વારા 12 વર્ષમાં એક વખત થતી વિશેષ પૂજા માટે 11 ઓગસ્ટથી 6 દિવસ માટે મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે થોડા હજાર શ્રદ્ધાળુઓને દિવસો દરમિયાન મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

(9:40 pm IST)