Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ટીડીપી નેતાઓની લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત: અવિશ્વાસ પ્રસ્તાવ પર માંગ્યું સમર્થન

તેલુગૂદેશમ પાર્ટીના ત્રણ સાંસદો રવિન્દ્ર કુમાર, મોહનરાવ અને ગલ્લા જયદેવે કરી મુલાકાત

ચંદ્રાબાબુ નાયડુની આગેવાનીવાળી તેલુગૂદેશમ પાર્ટીના ત્રણ સાંસદો રવિન્દ્ર કુમાર, મોહનરાવ અને ગલ્લા જયદેવે પટના ખાતે લાલુપ્રસાદ યાદવના નિવાસસ્થાને ટીડીપીના સાંસદોએ તેમની સાથે મુલાકાત કરીને મોનસૂન સત્રમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર સમ્થન માંગ્યું છે.

  આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે પણ ટીડીપીને મોદી સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવ પર સમર્થન આપવાનો વાયદો આપ્યો છે. ટીડીપી દ્વારા આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જા મામલે મોદી સરકાર પર વાયદા ખિલાફીનો આરોપ લગાવાયો છે અને આ મામલે ટીડીપીએ એનડીએ તથા કેન્દ્ર સરકાર છોડી હતી. હવે ટીડીપી દ્વારા સંસદમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ થઈ રહી છે.

(12:00 am IST)