Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ખેડૂતોએ પાક બચાવવા માટે ખેતરમાં લગાવ્યા ‘મોદી -શાહ’ના કટઆઉટ્સ

બેંગ્લુરુ :કર્ણાટકના ચિકમગલુરુના તારિકેર તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ  શાહના કટઆઉટ્સનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા કટઆઉટ્સનો ઉપયોગ ખેડૂત હવે પાકને પશુ-પક્ષીઓથી બચાવવા માટે કરી રહ્યાં છે. તાજેતરની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને બીજેપી અધ્યક્ષ અમિતબહી  શાહે પ્રચાર કર્યો હતો.

(8:59 am IST)