Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અમેરિકામાં શ્રીનાથજી હવલી બેનસેલ્‍મ પેન્‍સીલવેનીઆ ખાતે ૨૦ થી ૨૨ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ત્રિદિવસિય મહોત્‍સવઃ પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રી (વડોદરા),શ્રી આશ્રયકુમાર મહોદયશ્રી, તથા શ્રી શરણમકુમાર મહોદયશ્રીની ઉપસ્‍થિતિમાં વચનામૃત,મનોરથ દર્શન, બ્રહ્મસંબંધ,સહિતના કાર્યક્રમોનો લહાવો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં શ્રી ભક્‍તિનિધિ ઇન્‍કના ઉપક્રમે, શ્રીનાથજી હવેલી, બેનસેલ્‍મ, પેન્‍સિલવેનીઆ ખાતે ષષ્‍ઠપિઠાધિશ્વર પ.પૂ.ગો.૧૦૮, શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (વડોદરા) ચિ.પ.પૂ.ગો.૧૦૮ શ્રી આશ્રયકુમાર મહોદયશ્રી, તથા ચિ.પ.પૂ.ગો.૧૦૮ શ્રી શરણમકુમાર મહોદયશ્રીની પૂણ્‍ય ઉપસ્‍થિતિમાં ત્રિદિવસિય મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૨૦,૨૧, તથા ૨૨ જુલાઇ ૨૦૧૮ દરમિયાન યોજાનારા આ મહોત્‍સવમાં શ્રી પ્રભુના મનોરથ તથા વચનામૃતનો લહાવો લેવા સહુને ભાવભર્યુ આમંત્રણ પાઠવાયુ છે.

ત્રિદિવસિય મહોત્‍સવ અંતર્ગત ૨૦ જુલાઇ શુક્રવારના રોજ સાંજે ૬ થી ૭-૩૦ વાગ્‍યા દરમિયાન પ્રવચન બાદ ૭-૩૦ વાગ્‍યાથી મનોરથ દર્શન થશે.

૨૧ જુલાઇ શનિવારે સવારે ૮ વાગ્‍યે બ્રહ્મસંબંધ તથા સાંજે ૬ થી ૭-૩૦ દરમિયાન પ્રવચન બાદ ૭-૩૦ વાગ્‍યાથી મનોરથ દર્શન થશે.

૨૨ જુલાઇ રવિવારના રોજ સાંજે ૬ વાગ્‍યાથી ૭-૩૦ વાગ્‍યા દરમિયાન પ્રવચન બાદ ૭-૩૦ વાગ્‍યાથી મનોરથ દર્શન થશે.

કાર્યક્રમનું સ્‍થળ ૨૭૪૬ બ્રિસ્‍ટોલ પાઇક, બેનસેલ્‍મ, પેન્‍સીલવેનીઆ રાખવામાં આવ્‍યુ છે. જેનો કોન્‍ટેક નં.૨૧૫-૬૩૩-૧૭૭૬ છે.

બ્રહ્મસંબંધ તથા પધરામણી માટે શ્રી મુકેશભાઇ પટેલ ૭૩૨-૯૭૭-૭૧૯૨, શ્રી અંકિત મોદી ૨૬૭-૨૨૯-૦૦૨૯, અથવા શ્રી ઘનશ્‍યામ પટેલનો કોન્‍ટેક નં.૭૦૩-૭૮૯-૭૧૯૩ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

દર્શન બાદ સહુને મહાપ્રસાદ લેવા વિનંતી કરાઇ છે. તેવું શ્રી દ્વારકાધિશ મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:17 pm IST)