Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સલાયાનું 'અલ નૂરે નિઝામુદ્દીન' વહાણ અકસ્માતે આગમાં ખાખ : ખલાસીઓનો ઓમાન નેવી દ્વારા ૧૩ખલાસીને બચાવી લીધા

ખંભાળીયા : દુબઇથી સોમાલિયા માલ ભરી જતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના 'અલ નુરે નિઝામુદ્દીન' વહાણમાં આગ લાગી હતી. ઓમાન નેવીએ સલાયાના ૧૩ ખલાસીઓને બચાવ્યા હતા. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી, ખંભાળીયા)

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ : સલાયાનું અલ નૂરે નિઝામુદ્દીન વહાણ દુબઈથી જનરલ કાર્ગો ભરી સોમાલિયા જવા નીકળેલ હતું. જે વહાણ માં ગઈકાલે રાસલાત દરિયાઈ વિસ્તાર નજીક અકસ્માતે આગ લાગતાં આં વહાણ ઝડપથી સળગવા લાગેલ હતું. વહાણમાં રહેલ તમામ ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કુદી પડેલ હતા. આ તમામ ખલાસીઓ એક બેરલના સહારે પોતાના જીવ બચાવી પાણીમાં પડ્યા હતા. તેવામાં ઓમાન નેવી દ્વારા રેસ્કયું કરી તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવેલ હતા. આ વહાણ આગમાં બળી ખાખ થઈ ગયું હતું અને પાણીમાં ગરકાવ થઈ ગયેલ હતું. આ વહાણ બળી જવાના સમાચારથી સલાયામાં વહાણવટી ભાઈઓમાં શોકનું મોજુ ફરી વળેલ હતું.

(4:11 pm IST)