Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

દેશ માટે બલીદાન દેનાર વીર સૈનિકો સમક્ષ સંઘ નતમસ્તકઃ ભાગવતજી-ભૈયાજી

ચીન અને તેની સેનાના આક્રમક વલણને વખોડતુ આરએસએસ

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયં સંઘ (આરએસએસ) દ્વારા ચીન સરકાર અને તેની સેનાના આક્રમક અને હિંસક કાર્યની આકરી નીંદા કરતા જણાવેલ કે ભારતીય સૈનીકોએ દેશના આત્મસન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલીદાન આપ્યું છે. ચીન સાથેના સંઘર્ષમાં પોતાનું જીવન બલીદાન કરનાર સૈનીકોને શ્રધ્ધાંજલી અર્પતા સંઘ વડા ભાગવતજી અને સરકાર્યવાહ ભૈયાજી જોષીએ એક સંયુકત નિવેદનમાં જણાવેલ કે લડાખના ગલવન ક્ષેત્રમાં દેશની અખંડતા અને આત્મસન્માનની રક્ષા કરતા પોતાનું જીવન અર્પી દેનાર સૈનીકો સમક્ષ આરએસએસ માથુ નમાવે છે. દેશ વતી અમે શહીદ સૈનીકોના પરિવારો પ્રતિ સંવેદના વ્યકત કરીએ છીએ.

સંઘ પ્રમુખ ભાગવતજીએ જણાવેલ કે આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો સરકાર અને સેના સાથે એક જુટતાથી ઉભા છે. તેમણે ચીની સરકાર અને તેની સેનાના આક્રમક વલણની આકરી નીંદા કરેલ.

(3:07 pm IST)