Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પાકિસ્તાનને મરચા લાગ્યા, કહ્યું સ્ટ્રાઈક સાથે ક્રિકેટ મેચની તુલના ન કરો

ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ અમિતભાઈ શાહે ટીમને બીરદાવતા નિવેદન આપેલું

ભારતના હાથે મળેલી કારમી હાર બાદ પાકિસ્તાનના ફેન્સની સાથો સાથ પાકિસ્તાની સેના પણ ગિન્નાઇ છે. સેનાના પ્રવકતાએ હાર બાદ કહ્યું કે મેચને સ્ટ્રાઇક સાથે જોડીને ના જોશો.

પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) ડાયરેકટર જનરલ આસિફ ગફૂરે  ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનને મળેલી કારમી હાર અને દેશોની સરહદ પર ઝડપની વચ્ચે તુલના નહીં કરવાનો આગ્રહ કર્યો.

 મેજર જનરલ ગફૂરનું આ નિવેદન વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ભારતીય ટીમને અમિતભાઈએ  આપેલા અભિનંદન સંદેશ બાદ આવ્યું છે.

ગૃહમંત્રી અમિતભાઈ શાહે રોજ ટ્વિટ દ્વારા કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા દ્વારા પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક અને પરિણામ સામે આવ્યું. આ શાનદાર પ્રદર્શન માટે આખી ટીમને અભિનંદન. દરેક ભારતીય ગૌરવનો અનુભવ કરી રહ્યા છે અને આ પ્રભાવશાળી જીત પર જશ્ન છે.

(4:07 pm IST)