Gujarati News

Gujarati News

News of Sunday, 17th June 2018

નાઇઝીરીયામાં બે આત્મઘાતી હુમલામાં 31ના મોત : રોકેટથી ગ્રેનેડ વિસ્ફોટ કરાયો

ઈદ ઉલ ફિત્રની રજા મનાવીને પરત આવી રહેલા લોકોને નિશાન બનાવાયા

નાઈઝીરિયામાં બે આત્મઘાતી ધડાકામાં 31 લોકોના મોત થયા છે. ધડાકાનો અવાજ કિલોમિટરો સુધી સંભળાયો. મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે સંદિગ્ધ બોકો હરામના જેહાદિઓએ આત્મઘાતી ધડાકો કર્યો છે. 

  મિલિશિયા નેતા બાબાકુરા કોલો મુજબ દમ્બોઆમાં ગત રાત્રે બે આત્મઘાતી હુમલા અને રોકેટથી ગ્રેનેડ વિસ્ફોટ માં 31 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકોને ઈજા પહોંચી છે. 

 તેમણે જણાવ્યું કે, હુમલો ઈદ ઉલ ફિતરની રજા મનાવીને પરત આવી રહેલા લોકોને નિશાને બનાવીને કરવામાં આવ્યો. કોલોએ જણાવ્યું કે, બે આત્મઘાતી હુમલાવરોએ શુમારી અને પાસના અબાચારી શહેરમાં ગત રાત્રે આશરે 10.45 કલાકે પોતાને વિસ્ફોટ કરીને ઉડાવી દીધા હતા . 

(1:10 am IST)