Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડુ અમદાવાદથી દક્ષિણ પヘમિે ૨૧૦ કિ.મી., દક્ષિણ- દક્ષિણ પヘમિ દિશામાં સુરેન્‍દ્રનગરથી ૧૩૦ કિ.મી.દૂરઃ પ્રતિ કલાક ૧૦ કિ.મી.ની ઝડપ

રાજકોટઃ ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયકલોન સ્‍ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન)  ‘‘તૌકતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્‍ટ્રોમ આજે સવારે  ૦૮:૩૦ કલાકે રાજ્‍યના સૌરાષ્‍ટ્ર વિસ્‍તાર ઉપર કેન્‍દ્રિત થયેલું છે, જે અમદાવાદથી દક્ષિણપમિે  ૨૧૦ કિ.મી., દક્ષિણ-દક્ષિણ પમિ દિશામાં સુરેન્‍દ્રનગરથી ૧૩૦ કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વે ૧૦ કિલોમીટરના અંતરે સ્‍થિત છે.ᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ

‘‘ર્તૌકતે'' વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી ૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની તેના કેન્‍દ્ર પાસે પવનની ગતિ ૧૦૫ થી ૧૧૫  કિ.મી./કલાક રહેશે,  આ ઝડપ ૧૨૫ કિ.મી./કલાક સુધી વધી શકે છે.

(12:50 pm IST)