Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાની રફતાર ઘટી : નવા 2.62 લાખથી વધુ કેસ :રેકોર્ડબ્રેક 4.22 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :વધુ 4334 લોકોના મોત : મૃત્યઆંક 2,78 લાખને પાર :કુલ કેસનો આંક 2.62 કરોડને પાર પહોંચ્યો

સૌથી વધુ કર્ણાટકમાં 38.603 કેસ.મહારાષ્ટ્રમાં 26.616 કેસ, તામિલનાડુમાં 33,075 કેસ, કેરળમાં 21.402 કેસ, આંધ્રપ્રદેશમાં 18.561 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,003 કેસ. રાજસ્થાનમાં 11597 કેસ, ઓરિસ્સામાં 10,757 કેસ ,ઉત્તર પ્રદેશમાં 9345 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

દેશમાં કોરોનાનાં 2.62.891 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 4.22.257 નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2 .15 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2.62.891 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 4334 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.79.751 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 2.62.891 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,52,27,970 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 33,48,894એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 4.22.257 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  2,15.90.003 લોકોએ કોરોનાને મહાત આપી છે.

દેશમાં સૌથી વધુ સૌથી વધુ સૌથી વધુ સૌથી વધુ કર્ણાટકમાં 38.603 કેસ.મહારાષ્ટ્રમાં 26.616 કેસ, તામિલનાડુમાં 33,075 કેસ, કેરળમાં 21.402 કેસ, આંધ્રપ્રદેશમાં 18.561 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,003 કેસ. રાજસ્થાનમાં 11597 કેસ, ઓરિસ્સામાં 10,757 કેસ ,ઉત્તર  પ્રદેશમાં 9345 કેસ નોંધાયા છે

(1:54 am IST)