Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

મુંબઈમાં કોરોનાએ કહેર વર્તાવ્યો :નવા 1595 કેસ નોંધાયા :કુલ સંખ્યા 20150 : મૃત્યુઆંક 734 થયો

ધારાવીમાં નવા 44 કેસ નોંધાયા : 56 લોકોના કોરોનાને કારણે મોત

મુંબઇમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 20 હજારથી વધુ થઇ છે. મુંબઇમાં કોરોનાના 20150 દર્દીઓ થયાં છે. ત્યારે અહીં અત્યાર સુધીમાં 734 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 1595 નવા મામલા આવ્યા છે અને 38 લોકોના મોત થયાં છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 7688 દર્દીઓ સાજા થયાં છે.

 મુંબઇની ધારાવીમાં કોરોનાના નવા 44 નવા કેસ સામે આવ્યા છે સાથે જ અહીં કુલ દર્દીઓની સંખ્યા 1242 થઇ ચૂકી છે. તો ધારાવીમાં 56 લોકોના કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચૂક્યા છે.

(8:33 am IST)