Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ભાજપ એક દિવસ ઈન્દિરા ગાંધીની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશે : કેજરીવાલ

મારા પીએસઓ ભાજપને રિપોર્ટ કરે છે. મારી લાઈફ બે મિનિટની અંદર ખતમ થઈ જશે

નવી દિલ્હી :દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે  સનસનીખેજ આરોપ મુક્ત કહ્યું કે પૂર્વ વડાપ્રધાન પીએમ ઈન્દિરા ગાંધીની જેમ તેમની હત્યા કરાવવામાં આવી શકે છે. પોતાની રાજકીય હત્યાનો અંદેશો વ્યક્ત કરીને કેજરીવાલે કહ્યુ કે મારા પીએસઓ ભાજપને રિપોર્ટ કરે છે. મારી લાઈફ બે મિનિટની અંદર ખતમ થઈ શકે છે.

 આ પહેલી વાર નથી જ્યારે અરવિંદ કેજરીવાલે પોતાની હત્યાની શંકા વ્યક્ત કરી છે. આ પહેલા 2016માં પણ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે પીએમ નરેન્દ્ર મોદી તેમની હત્યા કરાવી શકે છે.

  એક સમાચાર પત્ર સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આસપાસ જે પોલિસવાળા સુરક્ષા માટે ચાલી રહ્યા છે તે બધા ભાજપને રિપોર્ટ કરે છે. પીએસઓ ભાજપને રિપોર્ટ કરે છે. કાલે આ ઈન્દિરા ગાંધીની જેમ મારી પીએસઓ પાસે જ મારી હત્યા કરાવી દેશે. મારી જિંદગી બે મિનિટમાં ખતમ થઈ શકે છે. કેજરીવાલના આ દાવાને આમ આદમી પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે પણ સમર્થન કર્યુ છે.

(9:11 pm IST)