Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

જમ્મુ-કાશ્મીર : પુલવામામાં આતંકીઓ સાથેની અથડામણમાં બે ઠાર

સુરક્ષા દળે ત્રણેય આતંકીઓને ઘેર્યા : બંને તરફથી ફાયરીંગ ચાલુ

શ્રીનગર તા. ૧૮ : દક્ષિણ કાશ્મીરમાં પુલવામાનાં પંજગામ સેકટરમાં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષાદળો વચ્ચે અથડામમણ ચાલુ છે. સુરક્ષાદળે ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. જેમાંથી બે આતંકવાદીઓ ઠાર મર્યા છે. બંને તરફથી ફાયરિંગનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. ફાયરિંગની અવાજથી અંદાજો લગાવી શકાય છે કે જેટલાં આતંકવાદીઓ છુપાયાની ખબર હતી તેનાંથી વધુ આતંકવાદીઓ ઘટના સ્થળે હાજર છે. સુરક્ષાદળોએ સંપૂર્ણ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અને સ્થાનિકોને ઘરની અંદર જ રહેવા અપીલ કરી છે.

જાણકારી અનુસાર, સુરક્ષાદળને સુચના મળી હતી કે, દક્ષિણ કાશ્મીરનાં પુલવામામાં પંજગામ સેકટરમાં કેટલાંક આતંકવાદીઓ છુપાયેલા છે. જે માહિતી બાદ સુરક્ષાદળોએ આ વિસ્તાર કોર્ડન કર્યો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. સુરક્ષાદળને જોતા જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.

(11:43 am IST)