Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રિયલ અેસ્ટેટ કંપની જયપ્રકાશ અેસોસિઅેટસ લિમીટેડને નાદારી ટાળવા રૂપિયા ૧૦૦૦ કરોડ જમા કરવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્‍હીઃ રિયલ અેસ્ટેટ કંપની જયપ્રકાશ અસોસિઅેટ્સ લિ. (JAL)ના ઘર ખરીદનારાઓને રિફન્ડ આપવા માટે આ કંપનીને રૂપિયા ૧૦૦૦ કરોડની વધારાની રકમ જમા કરવવા સુપ્રીમ કોર્ટે ૧પ જુન સુધીનો સમય આપ્યો છે.

આ કંપની સામે અત્યારે નાદારીની કાર્યવાહી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે હોલ્ડિંગ કંપની JALની પેટાકંપની જેપી ઇન્ફ્રાટેક લિ (JIL) સામેની લિક્વિડેશન કાર્યવાહી પર સ્ટે જળવાઈ રહેશે એમ જણાવ્યું હતું. કોર્ટે અગાઉ કંપનીને રૂપિયા 2,000 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં કંપનીએ રૂપિયા 750 કરોડ જમા કરાવ્યા છે.

કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, જો કંપની 15 જૂન સુધીમાં પૈસા જમા નહીં કરાવે તો તેની સામે સ્ટેચ્યુટરી પ્રોસિડિંગ્સ કરવામાં આવશે. JALના વકીલ અનુપમ લાલ દાસે જણાવ્યું હતું કે, JIL માટે સૂચવવામાં આવેલા રિવાઇવલ પ્લાન અંગે કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) દ્વારા નવેસરથી સમીક્ષા કરવામાં આવશે. અમે શ્રેષ્ઠ રિવાઇવલ પ્લાનનું સૂચન કર્યું હતું અને JILનું લિક્વિડેશન ક્રેડિટર્સ કે ઘર ખરીદદારોના હિતમાં નથી. JIL સામે પણ નાદારીની કાર્યવાહી ચાલી રહી છે.

કંપનીએ JILને બેઠી કરવાની રૂપિયા 10,000 કરોડની દરખાસ્તના ભાગરૂપે પ્રત્યેક ઘર ખરીદદારને JILના 2,000 ઇક્વિટી શેર્સ ઓફર કરવાનું સૂચન કર્યું છે.

(6:12 pm IST)