Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના લોકસભાની ચૂંટણી નહિ લડે :રાજ ઠાકરેની મોટી જાહેરાત

19મીએ પાર્ટીના અધિવેશનમાં લોકસભા ચૂંટણી માટે રાજકીય સ્ટેન્ડ ક્લિયર કરાય તેવી શકયતા

મુંબઈ :મહારાષ્ટ્ર નવનિર્ણા સેના  આગામી લોકસભા ચૂંટણી નહિ લડે ,મનસેના વડા રાજ ઠાકરેએ જાહેરાત કરી છે કે તે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો નહીં લડાવે. તેમનું કહેવું છે કે આગામી 19મી માર્ચે યોજાનાર પાર્ટીના અધિવેશનમાં વધારે જાહેરાત કરશે. માર્ચ મહિનાની શરૂઆતમાં એવી અટકળો સેવાઈ રહી હતી કે રાજ ઠાકરે એનસીપીના ઉમેદવારોને સમર્થન આપવાની જાહેરાત કરશે.

 

   પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેએ 9મી માર્ચે પાર્ટીના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે તેઓ યોગ્ય સમયે પોતાનો નિર્ણય જણાવશે અને કાર્યકર્તાઓ અને પાર્ટીના હોદ્દેદારોને અવગત કરશે. જોકે, 19મી માર્ચે રાજ ઠાકરેએ એક કાર્યકર્તા સંમ્મેલનનું આયોજન કર્યુ છે જેમાંમનસેનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરાય તેવી શકયતા છે

   જોકે એવી અટકળ લગાવાઈ રહી છે કે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં એમએનએસને શામેલ કરવામાં આવશે. જોકે, કોંગ્રેસે એનસીપીની વાત સાંભળી નહીં અને એમએનએસને ગઠબંધનમાં સમાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

(12:00 am IST)