Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

નિર્ભયાની માતાને વકીલ ઇન્દીરા જયસિંહની અપીલ

સોનિયાનો બોધપાઠ લઇને દોષિતોને માફ કરી દો

નવી દિલ્હી તા. ૧૮ : નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી બાબતે વરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંહે નિર્ભયાની માને આશ્ચર્ય ચકિત કરનારી સલાહ આપી છે તેમણે નિર્ભયાની માંને અપીલ કરી છે કે તેમણે સોનિયા ગાંધીનો ઘડો લઇને દોષીતોને માફ કરી દેવા જોઇએ.

ઇંદિરા જયસિંહે કહ્યું, ''હું આશાદેવીનું દુઃખ સમજુ છું, પણ તોય તેમને કહું છું કે જે રીતે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીને માફ કરી દીધી હતી અને કહ્યું હતું કે તે મૃત્યુદંડના વિરોધી છે, તેજ રીતે નિર્ભયાનીમાં એ પણ કરવું જોઇએ. અમે તમારી (નિર્ભયાની માની) સાથે જ છીએ પણ મૃત્યુદંડના વિરોધી છીએ.''

ઉલ્લેખનીય છે કે દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસના ચારે દષિતો સામે નવુ ડેથ વોરંટ બહાર પાડયું છે. આ ગુનેગારોને હવે પહેલી ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવશે આ ચારેયને પહેલા રર જાન્યુઆરીએ ફાંસી આપવાની હતી, પણ એક દોષિતે દયાની અરજી દાખલ કરી હતી અને તે રદ થયા પછી નવુ ડેથ વોરંટ જાહેર કરાયું હતું. આના કારણે ફાંસીની તારીખ લંબાવવી પડી હતી.

(11:37 am IST)