Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અયોધ્યા મામલો સુપ્રિમ કોર્ટમાં છે,તો કોઈ નેતા કેવી રીતે તેની તારીખ નક્કી કરી શકે ?

બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારીનો સંઘ સરકાર્યવાહ ભૈયાજી જોશીના નિવેદન પર પલટવાર

 

લખનૌ :સંઘ સરકાર્યવાહ ભૈયાજી જોશીના 2025 સુધી રામ મંદિર નિર્માણવાળા નિવેદન પર ઈકબાલ અન્સારીએ પલટવાર કર્યો છે. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ મોટો સવાલ ઉભો કરતા કહ્યું કે, જ્યારે અયોધ્યા મામલો સુપ્રિમ કોર્ટમાં છે, તો નેતા કેવી રીતે તેની તારીખ નક્કી કરી શકે છે.

   તેમનું એમ પણ કહેવું છે કે, પ્રકારના નિવેદનથી મોદી સરકારની બદનામી થશે. કેમ કે, કેન્દ્ર સરકાર અને યુપીની યોગી આદિત્યનાથ સરકાર, બંને બહુ સારુ કામ કરી રહી છે. ઈકબાલ અન્સારીએ એમ પણ કહ્યું કે, અયોધ્યા વિવાદનુ સોલ્યુશન સુપ્રિમ કોર્ટ કાઢી શકે છે. સુપ્રિમ કોર્ટ તારીખ નક્કી કરી શકે છે અને સુપ્રિમ કોર્ટ જે પણ નિર્ણય લેશે, તે બંને પક્ષ માનશે.

(12:38 am IST)