Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભોપાલ નગર નિગમ બનાવશે દેશનું પ્રથમ ગાયોનું સ્મશાન

ભોપાલનગર નિગમ ગાયોના અંતિમ સંસ્કાર માટે ''ગૌ'' મુકિત ધામ'' બનાવશે જે દેશનું પ્રથમ ગાયો માટેનું સ્મશાન હશે. મેયર આલોક શર્માએ જણાવ્યું કે  અપ્રાકૃતિક અને અસમય મોત પછી ગાયોના અંતિમ સંસ્કાર માટે ગયા વર્ષે બજેટમાં આ સ્મશાનનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. અને જમીન મળતા જ નિર્માણ કાર્ય શરૃ કરવામાં આવશે.

(10:52 pm IST)